ચોતરો કે ચોરટો?

નકલખોરીના હિમાયતી " ચોતરો " બ્લોગની નકલ

Monthly Archives: માર્ચ 2010

પાયરેટેડ ટુ કોપી પેસ્ટ

અત્યારે મોટા બ્લોગરો કોપી પેસ્ટની ચિંતામાં છે જયારે પાયરેટેડ સોફ્ટવેર ની કોઈ ચર્ચા નથી. જે લોકો કોપી પેસ્ટની આટલી ચિંતા કરે છે તેમના કોમ્પ્યુટર માં વાપરતાં તમામ સોફ્ટવેર શું ઓરીજીનલ હશે. અહિયાં હું મારા વિશે સ્પષ્ટતા કરું કે મારા નવા કમ્પ્યુટર માં મોટાભાગના સોફ્ટવેર કંપની કે શો રૂમ તરફથી  પ્રી લોડેડ છે અને નેટ માટે હું સાયબર કાફે નો બંધાણી છું એટલે હું મોટા ભાગે ઓરીજીનલ જ સોફ્ટવેર વાપરું છું અને મેં અત્યાર સુધી કોઈ પાયરેટેડ સોફ્ટવેર ખરીદ્યું નથી કે જરૂર પડી નથી અને હું કોપી પેસ્ટનો લોકહિતાર્થે વિરોધી નથી. હવે આગળ જેઓ કોપી પેસ્ટના મોટા પાયે વિરોધ કરે છે અને જેમને કોપી પેસ્ટ યોગ્ય નથી લાગતું તેમને આ પાયરેટેડ સોફ્ટવેર થી આ વિશે ની ચર્ચા કરવી યોગ્ય લાગે છે.કોપી પેસ્ટ થી લગભગ કોઈપણ લેખક ને આર્થિક મોટું નુકશાન નથી જયારે પાયરેટેડ થી સોફ્ટવેર કંપની ને મોટું નુકશાન છે.જો તમે કોપી પેસ્ટ નાં વિરોધી હોય તો તમે તમારી જગ્યાએ સાચા હોઈ શકો છો પણ એના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગ પર તમે ઓરીજીનલ ખરીદેલ સોફ્ટવેર ની માહીતી આપવી જોઈએ અને માહીતી ન આપો તો પણ તમારાં આંતર મન ને પૂછજો કે પાયરેટેડ થી કોપી પેસ્ટની ચર્ચા કરવી યોગ્ય છે .જેમને કોપી પેસ્ટનો વિરોધ જ કરવો હોય તે સૌએ પ્રથમતો ઓરિજીનલ સોફ્ટવેર વાપરવા જોઈએ જ . મેં ઘણા બધા બ્લોગ પર કોપી પેસ્ટની ચર્ચા જોઈ છે તે તમામ નાં નામો હવે પછી ની પોસ્ટ માં મૂકી તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આપ શું ઓરિજિનલ સોફ્ટવેર વાપરો છો.અને જેઓ વાપરતાં હોય તેઓ બિન્દાસ્ત કોપી પેસ્ટનો વિરોધ તમ તમારે ચાલુ રાખો. હમણાં મને એક મોટા બ્લોગર કોમેન્ટમાં પૂછ્યું છે તમારો પરિચય તેમને જણાવું કે પ્રથમ આપના બ્લોગ પર મુકેલ સુધારાની કોમેન્ટ કેમ દૂર કરી ,ભૂલ તો સુધારી પણ મારો ઉલ્લેખ કેમ નથી કર્યો એ જણાવશો પછી ક્યારેક તમને પરિચય વિગતવાર આપીશ.

આ વિશે કોઈએ પણ બંધ બેસતી પાઘડીઓ પહેરવી નહી આ એક ચર્ચા માટે જ વિષય છે કે નહી કોઈને નીચે પાડવા માટે .આપના મૂલ્યવાન પ્રતિભાવો આપશો.

કોપી પેસ્ટ

બ્લોગજગતના નાના મોટા મિત્રો ને નમસ્કાર .અત્યાર સુધી ખુબ જ બ્લોગ પર વાંચ્યું અને હવેન થયું કે કઈ લખવું જોઈએ પણ શું લખવું કે કેમ લખવું તે ઘણું વિચારી લખવું પડે તેમ છે.કેમેકે અત્યારે મોટા અને જાણકાર બ્લોગર ની ચર્ચા બ્લોગ પર જોઈ કે કોપી પેસ્ટ ના કરાય , પોતાની જ રચના મુકાય.પણ મને એ સમજાતું નથી કે કોઈ કોપી પેસ્ટ કરે તો વાંધો લેખક ,કવિ કે પ્રકાશક ને હોય પણ બીજા બધાને શા માટે ચિંતા કરવી જોઈએ. હું ગુજરાતી માં બરાબર ના લખું તો ધ્યાન દોરશો. જો ઝવેરચંદ , કવિ દલપતરામ, કલાપી હાજર નથી તો શું તેમના વગર આપણને તેમની રચના માટે ફરજીયાત લાયબ્રેરી કે પુસ્તક ખરીદવું જપડે ..અને જો કોઈ બ્લોગર ક્યાય થી વાંચી ને રચના મુકે તો ખોટું શું છે અને જો તેમાં જે તે લેખક નું નામ ન લખેતો ખોટું કહેવાય .આમે વિદેશી ભાષા વચ્ચે આપણી માતૃભાષા ખોવાય રહી છે તો તેના માટે ના ચિંતા કરીને મોટા લોકો કોપી પેસ્ટ ની ચિંતા કરીને નવા બ્લોગર ને આવતા કદાચ રોકી રહ્યા છે. મેં ગાયત્રી મંદિર, ભજનામૃત જેવા બ્લોગ પર ખુબ વાંચ્યું છે અને જ્ઞાન લીધું છે તો શું આ ક્યાંક તો લખ્યું જ છે અને શું આ કોપી પેસ્ટ કહેવાય.

કૃષ્ણ ભગવાન ગીતામાં જે કીધું પછી કોને કોપી રાઈટ આપીને ગયા છે તો પણ આજદિન સુધી લોકો તે છાપીને વેચે જ છે તો એમાં કોપી પેસ્ટ શું  ના આવે. હું એટલુજ કહું છુ કે કોપી પેસ્ટ થી લોકો વધુ લખશે અને ભાષા નો વધુ ફેલાવો થશે માટે કોપી પેસ્ટ ખોટું નથી. ગીતા માટે શું કૃષ્ણ ભગવાન થોડા બ્લોગ લખશે. માટે જે લોકો ખૂણે ખાંચરે પડેલી માહિતી ભેગી કરીને બ્લોગ પર મુકે છે જેને મોટાંઓ કોપી પેસ્ટ કહે છે તે આપ સૌ સૂચન આપીને જણાવશો કે શું ખોટું ને સાચું છે. વધુ આગળ વિષય પર લખતો રહીશ. આપના સૂચનો અને comments  જરૂર આપશો જેથી મારા જેવા નવા બ્લોગરને લખવાની પ્રેરણામળે.

અરે  ૧૩ માર્ચ થી ૧૫ માર્ચ સુધી ૭૫ લોકો મુલાકાત લેવા આવ્યા પણ  NO comments , આપની comment જરૂર આપશો. અને ઘણી વાર comments માંજ મોટા બ્લોગર પોસ્ટ પરજ ચર્ચા કરે છે માટે comment જરૂરી છે, આપ આ વિશે શું માનો છો